વીરપુર-મશીતારા રોડ પર રેલવે ક્રોસિંગ બંધ રહેતા 600 ખેડૂતો પરેશાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યાત્રાધામ વીરપુર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારા ગામ તરફનો કાચા માર્ગ પર રેલ્વેનું ફાટક આવેલ છે તે ફાટક ત્રણેક કલાકમાં માત્ર બે થી ત્રણ મિનિટ જ ખુલતું હોવાથી ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતો તેમજ ગ્રામજનોએ એકઠા થઇ રેલ્વે વિભાગને આવેદનપત્ર આપીને ફાટક ખુલ્લું રાખવાની માંગ કરી હતી. હાલ કોરોના કાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ બંને તરફ ટ્રાફિક થયા બાદ માત્ર બે મિનીટ ફાટક ખોલે છે અને તુરંત જ પાછો ફાટક બંધ કરી દે છે જેનાથી ખેતી કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.