ગોધરાની કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીનીનું દાઝતા આજે સારવાર દરમિયાન મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત 17 ઓગષ્ટ ના રોજ ચાલુ શાળાએ રિસેસ દરમિયાન કોઈ કારણસર સેનેટાઈઝરમાં આગની જ્વાળા ઉઠતા શાળાનાં વર્ગખંડમા હાજર ધોરણ 8ની વિદ્યાર્થીની શરીરે દાઝી ગઇ હતી. સેનેટાઈઝર જ્વાળાથી વિદ્યાર્થિની શરીરે 40 ટકા જેટલી દાઝી ગયાની ઘટના બની હતી.
ગંભીર રીતે દાઝી ગયેલ હાલતમાં વિદ્યાર્થીનીને સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને આ સમગ્ર મામલે જવાબદાર શિક્ષકો સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે અને તપાસમાં જે કોઈ કસૂરવાર હોવાનું સામે આવશે તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહિ કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીના સારવારની તમામ રીતે કાળજી લેવામા આવી હતી.