Arvalli News | અરવલ્લીના અસાલ ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં, બાળકો મંદિરમાં ભણવા મજબૂર
gujarati.abplive.com
Updated at:
16 Jan 2024 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvalli News | અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવેલું અસાલ ગામ જ્યાં છેલ્લા 4 વર્ષથી આંગણવાડી નું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. મકાનના પોપડા ઉખડી નીચે પડતા હોય છે. આંગણવાડી મકાનના ધાબાના સળીયા નોધારા થઈ ગયા છે. આ જર્જરીત આંગણવાડી મકાન અંગે વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા તાલુકા થી લઈ જીલ્લા સુધી જૂઆત કરવામાં આવી છે. હાલ જર્જરીત આંગણવાડીના કારણે નાના ભૂલકાઓને મંદિરમાં બેસાડવામાં આવે છે ત્યારે સ્થાનિકો તેમજ સરપંચ ની માંગ છે કે તંત્ર દ્વારા આ જર્જરિત આંગણવાડી નું કામ કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.