લવ જેહાદઃ ભાજપના સાંસદે CM રૂપાણીને લખ્યો પત્ર, કહ્યુ- આદિવાસી છોકરીઓ વેચાઇ રહી છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ, જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓની ગરીબીનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે, તેવા વિસ્તારોમાં વેચવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એક મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે.