રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Apr 2021 06:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોના કેસની સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન અને ઓક્સિજનની પણ અછત વર્તાઈ છે. ત્યારે કોરોનાની આ સ્થિતિને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રેમડિસિવિર ઈંજેક્શનની આજે અછત વર્તાઈ છે ત્યારે સરકારે લાખો ઈંજેક્શન બહાર એક્સપર્ટ કરી દીધાં. રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........