પાલનપુરમાં કોરોના વોરિયર ડોક્ટર ગીતાબેન પટેલનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વોરિયર ડૉ.ગીતાબેન પટેલનું નિધન થયું છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગીતાબેનને અન્ય બીમારી હોવા છતાં તેઓ હોસ્પિટલમાં કોરના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને કોરોનાનો ચેપ લાગતા તેમને ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં તેમની સારવાલ ચાલી રહી હતી.