પોલીસમાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે આવ્યા સારા સમાચાર, જાણો કેટલા પોલીસ લોકરક્ષકની કરાશે ભરતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં આગામી સમયમાં 12 હજાર પોલીસ લોક રક્ષકની ભરતી કરવાની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. પોલીસ એકેડમી કરાઈ ખાતે બિન હથિયારી લોકરક્ષક જવાનોની દિક્ષાંત પરેડમાં પ્રદીપસિંહે જાહેરાત કરી હતી. આગામી સમયમાં 12 હજાર પોલીસ લોક રક્ષકની ભરતી કરાશે. સરકારની આ જાહેરાતના કારણે પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા ઉમેદવારોમાં ખુશીની લહેર છવાઈ હતી.