અહમદ પટેલના નિધન પર લલિત વસોયાએ કહ્યું- ગુજરાતે એક સારો રાજનેતા ગુમાવ્યો, કૉંગ્રેસને મોટી ખોટ પડશે

Continues below advertisement
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી. અહમદ પટેલના નિધન પર રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી, લિલત વસોયા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ શોક વ્યક્ત કર્યો છે. લલિત વસોયાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે- ગુજરાતે એક સારો રાજનેતા ગુમાવ્યો છે. તેમના જવાથી કૉંગ્રેસને મોટી ખોટ પડશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram