અંબાજી મંદિરમાં પ્રસાદ અને પાર્કિંગના નામે લૂંટ, વિશાળ પાર્કિગ બનાવાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ અંબાજીમા વર્ષે દહાડે સવા કરોડ માઇભક્તો મા ના ચરણોમા શીશ નમાવે છે ત્યારે અનેક માઇભક્તોને યાત્રાધામમા કડવા અનુભવ થાય છે. અંબાજીમાં પ્રસાદ અને પાર્કિગના નામે લૂંટ ચલાવવામાં આવે છે ત્યારે કલેકટરે યાત્રિકોની સુરક્ષાને લઈ મહત્વના નિર્ણય કર્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના 3 કેન્દ્રો ખોલશે સાથે યાત્રિકોની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજીમા જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલાશે. સાથે યાત્રિકોને પાર્કિંગમા પડતી તકલીફોને લઈ ટ્રસ્ટ વિશાળ પાર્કિંગ પણ બનાવશે.