Surendranagar News: યોગ દિવસની ઉજવણી માટે બાળકોને જોખમી રીતે ટ્રકમાં લાવવાથી વાલીઓમા રોષ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજરોજ સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર અને આજુબાજુના વિસ્તારના શાળાઓમાંથી મોટી સંખ્યામાં બાળકોને લાવવામાં આવ્યા હતા ત્યારે આ બાળકોને જોખમી રીતે ટ્રકમાં લાવવાથી વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે
સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમ યોગ દિવસની ઉજવણી તો બહુ સુંદર રીતે કરવામાં આવી પરંતુ શાળાઓમાંથી જે બાળકો ને યોગ દિવસના કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા તે બાળકોના જીવ જોખમાય તેવી રીતે ટ્રકમાં જોખમી સવારી સાથે લાવવા અને લઈ જવામાં આવ્યા હતા ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે આવા સંચાલકો અને આવા શિક્ષકો સામે તંત્ર દ્વારા ક્યારે કડક પગલાં ભરવામાં આવશે તે તો જોવું જ રહ્યું પરંતુ આજની આભેદરકારીથી વાલીઓમાં ભારેરોષ જોવા મળી રહી છે.