Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ

Continues below advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના ઢાંકી ગામમાં એક વ્યક્તિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ જેમાં એક બાળકનું મોત થયુ હતુ, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ મામલે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણની બબાલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી ગામમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, ઢાંકી ગામમાં એક પ્રેમ પ્રકરણને લઇને બબાલ થઇ હતી, જેમાં ઇન્દ્રોડાના અલી નથુ નામના વ્યક્તિ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. અલી નથુના ફાયરિંગમાં 12 વર્ષના એક બાળકનુ મોત થયુ હતુ, જ્યારે બાબુ ઓકળિયા નામના શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો. પ્રેમ પ્રકરણને લઇને બનેલી આ સમગ્ર ઘટનામાં આરોપી અલી નથુ વિરૂદ્ધ પોલીસમાં લૂંટ, ધાકધમકી સહિતના ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. લખતર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram