વાવાઝોડું વેરાવળના દરિયાથી માત્ર 648 કિલોમીટર દૂર, લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2021 06:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે . 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 242 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ વીજપુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરાઈ છે. જામનગરના 61, દ્વારકાના 51, પોરબંદરમાં 30, જાફરાબાદના 12, રાજુલાના 6, માંગરોળના 47, વેરાવળના 24 અને મોરબીના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..