ભારતમાં ક્યારે આવશે કોરોનાની રસી? શું હશે કિંમત? PM મોદીએ કરી મોટી જાહેરાત
2021ની શરૂઆતમાં જ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર મળે તેવા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સંકેત આપ્યા છે. કોરોના સંક્રમણ પર હવે વિજય હાથવેંતમાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક પૂર્ણ થયા બાદ નિવેદન આપતા જણાવ્યું કે ગણતરીના અઠવાડિયામાં દેશમાં કોરોના વેક્સીન આવી જશે.કોરોના વેક્સીનની કિંમત અંગે કેંદ્ર સરકાર રાજ્યો સાથે સમન્વય કરશે.પીએમ મોદીએ જણાવ્યું કે થોડાક જ અઠવાડિયામાં કોરોના વેક્સીન આવી જશે.