Rahul Gandhi | રાહુલના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય | રાહુલે હિન્દુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં શંકરાચાર્ય આવ્યા છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું સમર્થન. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિવાદ થતાં તેમણે આખું નિવેદન સાંભળ્યું હતું. જોકે, તેમણે ક્યાં હિંદુ ધર્મ વિરુદ્ધની વાત કરી નથી. તેમણે ફક્ત પાર્ટી અંગે વાત કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નિવેદનનો અડધો ભાગ ફેલાવવો ગુનો.
નોંધનીય છે કે, લોકસભામાં રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ અંગેની ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો હતો. તેમજ ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત આવ્યા ત્યારે પણ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો.