31 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ યથાવત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના સંકટની વચ્ચે ડીજીસીએએ ભારતમાં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દીધો છે. દેશમાં 31 ડિસેમ્બર સુધી ન તો કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરીને બહાર જઈ શકશે અને ન તો બીજા દેશમાંથી આવી શકશે. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત જનારી ખાસ ફ્લાઇટ યથાવત રહેશે. આ પહેલા ડીજીસીએએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારવાનો આદેશ આપ્યો હતો.