UNICEFની ચેતવણીઃ નાસ લેતાં પહેલાં ચેતજો, તેનાથી કોરોના તો નહીં ભાગે પણ આ ખતરનાક બિમારી થઈ શકે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું ખરેખર નાસ લેવાથી કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે ? યૂનિસેફ સાઉથ એશિયાના રિઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વીડિયોમાં જણાવ્યું કે, નાસ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવારમાં નાસ લેવાની સલાહ આપતું નથી. નાસ લેવાથી અનેક ખરાબ પરિણામ આવી શકે છે. સતત નાસ લેવાથી ગળા અને ફેફસા વચ્ચે આવેલી શ્વાસનળી તથા કાકડા (pharynx)ને ગંભીર રીતે નુકસાન પહોંચી શકે છે. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલું જ નહીં વાયરસ ખૂબ સરળતાથી તમારા શરીરમાં પ્રવેશી શકશે. નાસ લેવાની આડઅસરને જાણ્યા વગર તેનો ઉપયોગ કરતાં લોકોને સાવધાન કરવા માટે યૂનિસેફ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે.