Surat માં કોરોના સંક્રમણ વધતા મોલ સંચાલકોનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ બંધ રહેશે મોલ?

Continues below advertisement
મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં સતત 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કેસને લઈ મનપાએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોલ સંચાલકોને અપીલ કરી હતી. જેને લઈ મોલ સંચાલકોએ બે દિવસ સ્વયંભૂ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખી કોરોના સંક્રમણ ઘટાડવા મોલ સંચાલકોએ સહમત બતાવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram