સમસ્ત માલધારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા, શોભાયાત્રા બાદ સમાધિ અપાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્મલીન થયા હતા. જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓ ઘેરા શોકમાં છે. બળદેવગીરીજી બાપુ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા.તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા.ત્યાર બાદ તરભ પરત લવાયા..બાપુ બ્રહ્મલીન થતા જ અંતિમ દર્શન માટે સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે દોડી આવ્યા. બાપુના દર્શન અને શોભાયાત્રા બાદ સમાધિ અપાશે.