Mansukh Mandviya |પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ?
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Mansukh Mandviya |પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ?
પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખ્યો છે. જેમાં તેમણએ પોરબંદર અને જૂનાગઢ વિસ્તારના લોકોને મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જવાહર ચાવડાના પત્ર મુજબ, તાલુકા, જીલ્લા, રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જતા અસહ્ય ટોલ ટેક્ષ ભરવો પડે છે. કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન અને અન્યાય કરી રહી છે. મનસુખ માંડવિયાને કટાક્ષ કરતાં તેમણે લખ્યું છે, તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ વિસ્તારના પ્રશ્નોથી તમે તદન અજાણ હશો તે સ્વાભાવિક છે.
જવાહર ચાવડાએ શું લખ્યું છે પત્રમાં
આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહીતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાય ને દુર કરવાની રજુઆત છે.