Rajkot | ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપ નેતાઓનો પોલીસે લીધો ઉધડો, નેતા ભરાયા રોષે
abp asmita
Updated at:
27 Jul 2024 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકરોને પોલીસે પાઠ ભણાવ્યા છે. કિસાન પરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. પોલીસે વોર્ડ નંબર 2ના યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા. પોલીસે કાર ડીટેઇન કરી હતી. કાર ડીટેઇન કરતા ભાજપના કાર્યકરો ભેગા થઈ ગયા હતા. પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. પરંતુ ટ્રાફિક એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે. પરંતુ કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ સવાલ એ છે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમો લાગુ પડતા નથી?