મરી પરવારી સંવદેના: ગાંધીનગરમાં પ્રશાસનની ગંભીર બેદરકારી, એક જ શબવાહિનીમાં ચાર -ચાર મૃતદેહ લઈ જવાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગરમાં પ્રશાસનની બેદરકારીથી મોતનો મલાજો પણ ના જળવાયો. એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડકી દેવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારજનોએ સરકાર પર કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે વિવાદ વકરતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હરકતમાં આવ્યા..તેમણે દાવો કર્યો કે, સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા .