Surat: ધો. 7ના પાંચ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ફફડાટ
Continues below advertisement
સુરતની નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા છે. આ પાંચેય વિદ્યાર્થીઓ ધો. 7ના હોવાનું સામે આવ્યું છે. પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા અનેક વિદ્યાર્થીઓને ચેપ લાગ્યાની આશંકા સેવાઈ રહી છે. સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાતા પાલિકાએ શાળાના પ્રાથમિક વિભાગને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો કોરોનાના કેસો નોંધાતા સ્કૂલના અન્ય 184 વિદ્યાર્થીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.
Continues below advertisement