'લોકો ઈંજેક્શન માટે ફાંફા મારે છે ત્યારે C.R. પાટીલને ક્યાંથી મળ્યાં ?' રૂપાણી સરકારના ક્યા મંત્રીનું ઘર ઘેરીને કરાઈ નારેબાજી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમા આપના કાર્યકરોએ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો. બેનરો અને પોસ્ટરો સાથે આપના કાર્યકરો કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા અને ઇન્જેક્શન આપો નહિ તો રાજીનામુ આપોના નારા લગાવી કુમાર કાનાણીના ઘરની બહાર પ્રદર્શન કર્યું.આપનો આરોપ છે કે ઈંજેક્શન માટે લોકો ફાંફા મારે છે તે ઇન્જેકશન સી.આર પાટીલને ક્યાંથી મળ્યા?. કોણે પરમીશન આપી? જેવા બેનરો સાથે કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કરી વિરોધ નોઁધાવ્યો..જો કે બાદમાં ઘેરાવ કરનારા આપના કાર્યકરોની અટકાયત કરાઇ હતી.