Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
abp asmita
Updated at:
04 Jul 2024 09:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતા ઠગની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે કનુ ઉર્ફે સુનિલની ધરપકડ કરી. આરોપી પોતાના બે સાગીરતો સાથે અનાજ કરિયાણાનો હોલસેલનો ધંધો કરતો હતો. અને અમદાવાદમાં નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે 14 દુકાનો ભાડાથી ખોલી હતી. આટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતાં હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી. જેથી ફરિયાદીએ વિશ્વાસ કરી વેુપાર કર્યો હતો. પરંતુ ઘઉં, ચોખા, ચણાની આશરે 13,353 કિલોનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થયો હતો. આ અનાજના જથ્થાની કિંમત 2.41 કરોડ રૂપિયા હતી. આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો. આખરે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે.