હરિધામ સોખડા વિવાદ મામલે હાઈકોર્ટે કરી મહત્વની ટકોર
gujarati.abplive.com
Updated at:
23 Apr 2022 12:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: હરિધામ સોખડાની 10,000 કરોડની સંપત્તિના વિવાદનો મામલો સામે આવ્યો છે. સમાધાનકારી વલણ દ્વારા કેસ મીડિએશન સેન્ટરમાં લઈ જવા માટે હાઇકોર્ટે ટકોર કરી છે. હાઇકોર્ટ સંતો, સાધ્વીઓ અને સેવકોના પાસપોર્ટ તથા મોબાઈલ સુપ્રત કરવા પણ સૂચન કર્યું છે. હાઇકોર્ટના સરકારી વકીલ મારફતે તમામ ચીજ વસ્તુઓ સુપ્રત કરવા આદેશ. હાઈકોર્ટે પોલીસને આણંદના બાકરોલ અને અમદાવાદના નિર્ણય નગરમાં આશ્રયસ્થાનો ઉપર જઈને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા પણ આદેશ કર્યો છે. જો સમાધાનકારી વલણનો માહોલ નહીં ઊભો થાય તો કોર્ટ જાતે ન્યાય કરશે તેમ જણાવ્યું છે. તો બીજી તરફ વડોદરા ન્યાયતંત્ર અને પોલીસની હાઈકોર્ટે પ્રશંસા કરી છે.