સમગ્ર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો પડ્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2017 09:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડ્યા પછી ગઈ કાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ચોમાસું 15 જૂનના નિયત સમય કરતાં 6 દિવસ વહેલું પ્રારંભ થઈ ગયું છે.
શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ પડતાં લોકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. શુક્રવારે વલસાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીના ગણદેવી અને બીલીમોરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાંપણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગર તાલુકાના ચંદ્રગઢ, લોઠીયા, ખારાબેરાજા ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા પંથકમાં બપોરે 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડા, જેસર, પાલિતાણા, તળાજા, મહુવામાં પણ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ પડતાં લોકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. શુક્રવારે વલસાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીના ગણદેવી અને બીલીમોરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાંપણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગર તાલુકાના ચંદ્રગઢ, લોઠીયા, ખારાબેરાજા ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા પંથકમાં બપોરે 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડા, જેસર, પાલિતાણા, તળાજા, મહુવામાં પણ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.