પોતાના ઘરેથી દારૂ-નાણા અને સોનું પકડાયા પછી ધરપકડ અંગે સાધ્વી જયશ્રીગીરી શું કર્યો બચાવ? જુઓ વીડિયો

Continues below advertisement
પાલનપુરઃ બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વરધામનાં વિવાદિત સાધ્વી જયશ્રીગીરી વધુ એક ઠગાઈના કેશમાં સંડોવાયા છે. જેમાં પાલનપુરનાં ન્યુ દાગીના જવેલર્સની પાંચ કરોડથી પણ વધુની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસે આ સાધ્વીના ઘેર દરોડો પાડી સોનાના બે કીલો ચારસો ગ્રામના બિસ્કીટ અને એક કરોડ ઓગણત્રીસ લાખથી વધુની નવી ચલણી નોટો  ઝડપી પાડી છે. આ કેશમાં સાધ્વી સહીત ત્રણ વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસે ઠગાઈ અને ધાકધમકીનો ગુનો નોધી સાધ્વીની ધરપકડ કરતા ચકચાર મચેલ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram