સુરતઃ ત્રણ માળનું મકાન મધરાતે થયું ધરાશાયી, પરિવાર દટાયો, મહિલાનું મોત

Continues below advertisement
સુરત: શહેરના નવસારી બજાર લુહાર મહોલ્લામાં 100 વર્ષ જૂનું 3 માળનું મકાન મધરાત્રે 1 વાગ્યાની આસપાસ ધડાકાભેર ધરાશયી થયું હતું. આ ઘટનામાં ટેલર પરિવારના ચાર સભ્યો દબાઈ ગયા હતા. બૂમાબૂમ સાંભળી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ બાદ ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે દબાયેલા ટેલર પરિવારને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પિનલ હિતેશ ટેલર (ઉ.વ.40)નું મોત નીપજ્યું હતું. જ્યારે એક કિશોરી અને એક વૃદ્ધા સહિત એકનો ચમત્કારીક બચાવ થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram