લવિંગ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ દિવસમાં માત્ર 1 થી 2 લવિંગ ખાવા જ સ્વાસ્થ્યપ્રદ છે.

Published by: gujarati.abplive.com

તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લવિંગ કુદરતી રીતે લોહી પાતળું કરે છે, જેનો અતિશય ઉપયોગ આંતરિક સમસ્યાઓ નોંતરે છે.

Published by: gujarati.abplive.com

લોહી વધુ પડતું પાતળું થવાને કારણે ઈજાના સમયે રક્તસ્ત્રાવ જલ્દી બંધ ન થવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને લવિંગના કારણે રેશિઝ અથવા ખંજવાળ જેવી એલર્જી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લવિંગનું અતિશય સેવન લીવર પર ‘ટોક્સિક ઈફેક્ટ’ કરે છે, જે લીવરને નુકસાન પહોંચાડે છે.

Published by: gujarati.abplive.com

કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓએ લવિંગનું સેવન કરતા પહેલા ખાસ સાવધાની રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

તે ડાયાબિટીસ કે લોહી પાતળું કરવાની દવાઓની અસરને ઓછી અથવા અસ્થિર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા લવિંગ ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ માર્ગમાં ગંભીર વિકૃતિઓ પેદા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ જૂની બીમારીની દવા લેતા દર્દીઓએ લવિંગ ખાતા પહેલા તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com