ભારતના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે

જોકે ઘણા લોકો દરરોજ ઇંડા ખાય છે તેઓ પણ દરરોજ તેને ખાવા કે નહીં તેની ચિંતા કરવા લાગે છે.

સુપરફૂડ માનવામાં આવતા ઇંડા વિશે એક મોટી ગેરસમજ એ છે કે તેમાં ગરમીની અસર હોય છે

ઉનાળામાં તેને ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા શરીરની ગરમી વધી શકે છે.

હાર્વર્ડ હેલ્થ અને ઈન્ટરનેશનલ રિસર્ચ ડેટા અનુસાર, ઇંડા ઉનાળામાં પણ એટલા જ સલામત છે જેટલા શિયાળામાં હોય છે

પરંતુ એકમાત્ર શરત એ છે કે તેનું યોગ્ય રીતે સેવન કરવું જોઈએ.

હાર્વર્ડ ન્યુટ્રિશન સોર્સ અનુસાર, ઇંડા વિટામિન ડી અને કોલીનનો ઉત્તમ સ્ત્રોત છે.

જો યોગ્ય હાઇડ્રેશન એટલે કે પૂરતું પાણી પીવામાં આવે તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરતા નથી.

નિષ્ણાતો કહે છે કે ઈંડામાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને એમિનો એસિડ હોય છે

જેને પચાવવા માટે શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. આ પ્રક્રિયાને થર્મિક ઈફેક્ટ ઓફ ફૂડ કહે છે

ઓસ્ટ્રેલિયા એગ્સના રિપોર્ટ અનુસાર, સવારે ઈંડા ખાવાથી દિવસભર ઊર્જા જાળવવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો