આયુર્વેદના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિની એક ખાસ પ્રકૃતિ હોય છે. જેમાં પિત્ત, વાત અને કફનો સમાવેશ થાય છે

જો તમને આળસ આવે છે, શરદી તાવ રહે છે તો આ કફના સંકેત છે

કફ દોષને કેવી રીતે નિયંત્રિત કરવો આવા લોકોએ કયા ખોરાક ખાવા જોઈએ અને કયા ખોરાક ટાળવા જોઈએ.

આયુર્વેદના જણાવ્યા અનુસાર, શરીરમાં કફ દોષમાં વધારો શરીરની સ્થિરતા અને પોષણ પર પણ અસર કરે છે.

આવા લોકો મેદસ્વી બનવાનું, ધીમે ધીમે વજન વધવાનું અને સુસ્ત બનવાનું વલણ ધરાવે છે.

તેઓ ઓછી સહનશક્તિ અને સતત થાકનો પણ અનુભવ કરે છે. કફ વધવાથી પાચનતંત્ર નબળું પડે છે.

કફને નિયંત્રિત કરવા માટે તમારા ડાયટમાંથી દહીં, ખાંડ અને ઠંડા પીણાં દૂર કરો.

Published by: gujarati.abplive.com

કફવાળા લોકોએ વધુ પડતો તળેલા ખોરાક ન ખાવો જોઈએ

Published by: gujarati.abplive.com

આ લોકોએ વહેલા ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ. તેમના ખોરાકમાં તેલ અને મસાલાનો ઉપયોગ ઓછો કરો.

કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ ડાયટમાં મગ, આદુ, હળદર, કાળા મરી અને લસણ જેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

લીલા શાકભાજીમાં પાલક, કોબી, બ્રોકલી, કઠોળ અને મરચાનો સમાવેશ થાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો