આજકાલ લોહીની ઉણપ બહુ સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો હિમોગ્લોબિનની ઉપણનો શિકાર બને છે.



લોહીમાં RBC, WBC, પ્લેટલેટ્સ અને પ્લાઝ્માનો સમાવેશ થાય છે.



આમાં આરબીસીમાં હિમોગ્લોબિન કમ્પાઉન્ડમાં જોવા મળે છે જેમાં આયર્ન હોય છે.



દાડમમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય તેમાં નાઈટ્રેટ હોય છે જે રક્તવાહિનીઓને પહોળી કરે છે.



બ્લૂબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી જેવા ફળો ઝડપથી લોહી વધારી શકે છે. બેરીમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે બ્લડ ફ્લોને વેગ આપે છે અને હિમોગ્લોબિન વધારે છે.



આદુ માત્ર શરદી અને ઉધરસ માટે રામબાણ નથી પરંતુ તે લોહી પણ વધારી શકે છે.



હિમોગ્લોબિનની ઉપણ દૂર કરવા ટામેટાં વધુ ખાવા જોઇએ. ટામેટામાં લોહી વધારવાની ક્ષમતા હોય છે એટલે કે હિમોગ્લોબિન વધે છે.



લોહી વધારવા માટે વિટામિન સીની સૌથી વધુ જરૂર છે. મીઠા અને ખાટા ફળોમાં સૌથી વધુ વિટામિન સી હોય છે. ખાટાં ફળોમાં તમે લીંબુ, નારંગી, કીવી, બીટરૂટ, દ્રાક્ષ, બ્લુબેરી વગેરેનું સેવન કરી શકો છો.



લોહી વધારવા માટે ફોલિક એસિડ જરૂરી છે. લીલા પાંદડાવાળા શાકભાજી ફોલિક એસિડ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.



રાત્રે દૂધ અને હળદરનું સેવન કરો. હળદરમાં રહેલું કર્ક્યુમિન રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે.



બીટરૂટ અને દાડમ હિમોગ્લોબિનની ઉપણ દૂર કરવામાં અસરકારક છે.



જો તમે નોન-વેજિટેરિયન હોવ તો તમે ફેટી ફિશનું સેવન કરી શકો છો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે.



લસણથી શરીરમાં લોહી વધે છે. લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જેમાં એલિસિન હોય છે. તે બ્લડ પ્રેશરને આરામ આપે છે.