મોબાઈલ ફોન માનવીની જરૂરિયાત બની ગયો છે.



મોબાઈલ ફોન ન હોત તો આજકાલ લોકોના ઘણાં કામ અટકી જાય છે.



પરંતુ હવે સ્માર્ટ ફોન માનવીની આદત બની ગયો છે.



આજકાલ ઘણા લોકો તેમના ફોન વિના જીવી શકતા નથી.



જ્યારે ફોન ન હોય ત્યારે કેટલાક લોકો ડર અનુભવવા લાગે છે. વ્યક્તિ અંદરથી અસ્વસ્થતા અનુભવવા લાગે છે.



જો તમને પણ એવું લાગે છે તો તરત જ સાવધાન થઈ જાઓ.



કારણ કે તમે એક રોગના શિકાર છો જે ખૂબ જ રેર છે.આ રોગને નોમોફોબિયા કહેવામાં આવે છે, એટલે કે તમારા ફોન વગર રહેવાનો ડર.



આ રોગથી પીડિત લોકો હંમેશા ડરતા હોય છે કે તેઓ તેમના ફોનથી દૂર થઈ જશે અથવા તેમનો ફોન ચોરાઈ જશે.



એટલું જ નહીં ફોનની બેટરી ખતમ થવાનો ડર પણ તેમાં સામેલ છે. આ સાથે તેમને વારંવાર તેમનો ફોન તૂટી જવાનો ડર રહે છે.



નોમોફોબિયાના લક્ષણો વારંવાર ફોન નોટિફિકેશન જોવા અને ફોન સ્વીચ ઓફ ન કરી શકવાના છે.



ફોનને દરેક જગ્યાએ લઈ જવો અને ફોન ફુલ ચાર્જ થઈ ગયા પછી પણ તેને વારંવાર ચાર્જ કરવો વગેરે છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો