આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

આ ટીમમાં 4 ગુજરાતી ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.

તેણે 79 વન ડેમાં 1753 રન બનાવવાની સાથે 74 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાનો પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેણે 179 વન ડેમાં 2574 રન બનાવવાની સાથે 197 વિકેટ લીધી છે.

જસપ્રીત બુમરાહના હાથમાં ટીમ ઈન્ડિયાનું ફાસ્ટ બોલિંગ આક્રમણ રહેશે.

બુમરાહે 73 વન ડેમાં 121 વિકેટ લીધી છે.

આણંદના અક્ષર પટેલને પણ ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે.

તેણે 52 વન ડેમાં 413 રન બનાવ્યા છે અને 58 વિકેટ ઝડપી છે.

Thanks for Reading. UP NEXT

યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ ગ્રીન આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ

View next story