પાકિસ્તાને કહ્યું- કુલભૂષણ જાધવની પત્ની, માતાની વિઝા અરજી પર કાર્યવાહી શરૂ છે
પાકની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી ગતિવિધિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જાધવને ઈરાનની પકડીને ત્યાં લાવવામાં આવ્યો હોવાનો ભારતનો આરોપ છે. ઈન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા બાદ તે ઈરાનમાં બિઝનેસ કરતો હતો. જાધવને બલુચિસ્તાનમાંથી 3 માર્ચ, 2016ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હોવાનો પાકિસ્તાનનો દાવો છે. પાકિસ્તાને જાધવ પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો અને જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટ(ICJ)માં ભારત વતી સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ 8 મેના રોજ પિટીશન દાખલ કરી કહ્યું હતું કે, ભારતના પક્ષમાં મેરિટ તપાસતા પહેલા જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે જાધવ મામલે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કૉન્સ્યુલર એક્સેસ આપવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાને કોર્ટમાં કહ્યું કે, ભારત તેના જાસૂસ કુલભૂષણ દ્વારા અહીંયાની માહિતી મેળવવા માંગે છે તેથી તેને કૉન્સ્યુલર એક્સેસ આપી શકાય નહીં. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાને બુધવારે તેનો જવાબ આપતાં કહ્યું કે, વિયેના સંમેલન અંતર્ગત કૉન્સ્યુલર એક્સેસની જોગવાઈ મહેમાનો માટે છે, જાસૂસો માટે નહીં. પાકિસ્તાન સતત એવો આરોપ લગાવતું રહ્યું છે કે, કુલભૂષણ જાધવનો આતંકી ગતિવિધિમાં હાથ છે.
ઇસ્લામાબાદઃ કુલભૂષણ જાધવની પત્ની અને માતાની વિઝા અરજી મળી છે અને તેના પર કાર્યવાહી થઈ રહી હોવાનું પાકિસ્તાને શનિવારે કહ્યું હતું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ટ્વિટ કરીને જાધવના પરિવાર દ્વારા વિઝા અરજી કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, કમાન્ડર જાધવની માતા અને પત્નીની વિઝા અરજી મળી છે. તેઓ માનવતાના ધોરણે અહીંયા આવવા માંગે છે. તેમની અરજી પર કાર્યવાહી ચાલી રહી છે. તેમણે ક્યારે વિઝા આપવામાં આવશે તે અંગે કોઈ સમય મર્યાદા જણાવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -