Cancer Yearly Horoscope 2023: વર્ષ 2022 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને લઈ દરેક રાશિના જાતકો તેમનું આગામી વર્ષ કેવું પસાર થશે તે જાણવા ઉત્સુક છે. આ એપિસોડમાં કર્ક રાશિના જાતકોની વાત કરીશું. કર્ક રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ પૈકીની એક છે. આ રાશિ ત્રીજી રાશિ ગણાય છે. જેના મૂળાક્ષર ડ.હ. છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચિન્હ કરચલો છે. જાણો જ્યોતિષ વિશારદ, ગોલ્ડ મેડાલિસ્ટ, સારિકા મહેતા શું કહે છે.


કર્ક રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ 2023



  • શનિના બંધનથી મુક્ત થાય છે. પણ ઢૈયા શરૂ થશે.

  • 2, 10 પર શનિની દ્રષ્ટિ એટલેકે કર્મ અને અર્થનો ભાવ ઍક્ટિવ થઈ રહ્યો છે.

  • તમારે મહેનત કરવા માટે તૈયાર રહેવું પડશે. આ માટે ભલે નાના કામો પણ કરવા પડે.

  • વિદ્યાર્થીઓ જે રિસર્ચ ફીલ્ડમાં છે તેમના માટે બહુ શુભ સમય છે.

  • સંતાન પ્રાપ્તિ માટે સમય શુભ એપ્રિલથી

  • મિત્રોથી લાભ કે સાચી સલાહ મળી શકે. તેમની સલાહ તમારા કાર્ય માટે અનુરૂપ સાબિત થાય.

  • યાત્રાના યોગ છે. ફેમિલી ટુરનું પ્લાનિંગ પણ થઈ શકે છે.

  • કર્ક રાશિના જાતકને સંઘર્ષો બાદ સફળતા મળવાના ચોક્કસ યોગ છે.

  • મિલકતની ખરીદ માટે કઈંક અડચણ આવી શકે અથવા તો પ્રોપર્ટી સમજી વિચારીને લેવી.

  • મે-જૂનમાં પાડવા વાગવાના યોગ છે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી બને.



Disclaimer: અહીં આપેલી માહિતી જ્યોતિષ દ્વારા આપવામાં આવી છે.  abp અસ્મિતા આ અંગેનો કોઈ દાવો કરતું નથી.  કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Arise Yearly Horoscope 2023: મેષ રાશિ માટે કેવું રહેશે વર્ષ 2023 ? કઈ બાબતોથી બચવું પડશે


Taurus Yearly Horoscope 2023: વૃષભ રાશિના જાતકોને 2023માં કાર્યક્ષેત્રે મળી શકે છે લાભ અને સફળતા, જાણો વાર્ષિક રાશિફળ


Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિના જાતકો માટે નોકરી બદલવાનો ઉત્તમ સમય, રોકાણ કરતી વખતે રહેજો Alert, જાણો વાર્ષિક રાશિફળ


સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ 2023


વર્ષ 2023માં કુલ ચાર ગ્રહણ થશે, જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હશે. પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે અને બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે, પરંતુ આ બંને ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.


ચંદ્રગ્રહણ 2023


પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ થશે અને તે પછી બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 ના રોજ થશે, જે બંને ભારતમાં પણ દેખાશે.


2023માં કેતુ રહેશે પ્રભાવી


વર્ષ 2023 નો કુલ સરવાળો 7  થાય છે, જે અંકશાસ્ત્રમાં કેતુનો અંક માનવામાં આવે છે, તેથી આ વર્ષે ધર્મ-કાર્ય, પૂજા-પાઠ, વૈદ્ય, ચિકિત્સક, તબીબ, અને આ વર્ષે લોકો પર વિશેષ અસર પડશે. આ વર્ષે જાસૂસીના કારનામાઓ પણ સામે આવશે. કેટલાક જૂના રહસ્યો ખુલશે અને ચેપી રોગો વધી શકે છે.


નવું વર્ષ 2023 ઉપાયો


જો તમે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવા માંગો છો, તો વર્ષના પહેલા દિવસે રવિવાર હોવાથી સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવો તથા સૂર્યાષ્ટકનો પાઠ કરો. ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો અને મા મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે શ્રીસૂક્તનો પણ પાઠ કરો. સૌથી મહત્વની વાત એ છે કે સવારે વહેલા ઉઠીને પૃથ્વી માતાના ચરણ સ્પર્શ કર્યા પછી તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરો. આ સાથે તમારી આર્થિક સમૃદ્ધિ પણ આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેશે અને તમને જીવનમાં સફળતા મળશે.