Navratri Celebration: જો તમે આ નવરાત્રીની સિઝનમાં બિનજરૂરી ખર્ચાઓથી બચવા માંગતા હોવ તો તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો તફાવત સમજવો પડશે. તમે ફક્ત એવી વસ્તુઓ ખરીદો જેની તમને જરૂર છે. પિતૃપક્ષ પુરો થતા જ દેશમાં તહેવારોની મોસમ શરૂ થશે. સપ્ટેમ્બરની 26  તારીખથી નવરાત્રિ શરૂ થશે. આ પછી દશેરા, ધનતેરસ, દિવાળી અને ભાઈ બીજ જેવા અનેક તહેવારો ઉજવવામાં આવશે.


આવી સ્થિતિમાં, આ તહેવારોની મોસમ ખરીદીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તહેવારોની સિઝનમાં લોકો ઘરની સજાવટની વસ્તુઓ, ઘરેણાં, કપડાં, ફર્નિચર વગેરે જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદે છે, પરંતુ ક્યારેક તહેવારના ઉત્સાહમાં લોકો અતિશય ખર્ચ કરવા લાગે છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તહેવારો દરમિયાન બિનજરૂરી ખર્ચથી બચી શકો.



  • નવરાત્રીની સિઝન શરૂ થાય તે પહેલાં, તમારી કમાણી અને ખર્ચનો રેકોર્ડ રાખો. આ સાથે સિઝનમાં જરૂરી વસ્તુઓની ખરીદી માટે શોપિંગ લિસ્ટ બનાવો.

  • જો તમે આ સિઝનમાં બિનજરૂરી ખર્ચાઓથી બચવા માંગતા હોવ તો તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો તફાવત સમજો. તમને જરૂરી વસ્તુઓ જ ખરીદો. નકામી વસ્તુઓમાં પૈસા વેડફશો નહીં.

  • તમે તહેવારોની મોસમ દરમિયાન ખરીદી કરવા માટે વિવિધ નાણાકીય વિકલ્પો પણ શોધી શકો છો. તમે Buy Now Pay Later, ક્રેડિટ કાર્ડ વગેરે જેવા વિકલ્પો દ્વારા ખરીદી કરી શકો છો.

  • ખરીદી કરતા પહેલા, ખાતરી કરો કે તમને સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ક્યાં મળી રહી છે. આ માટે તમે ઈન્ટરનેટની મદદ પણ લઈ શકો છો. આ સાથે, જો તમે ઇચ્છો તો, તમે EMI વિકલ્પ દ્વારા મોંઘી વસ્તુઓ પણ ખરીદી શકો છો.


આ પણ વાંચો...


Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત


C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 


આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો


Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત


Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત