જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Nov 2020 04:49 PM (IST)
લુશાળા ગામની સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
જૂનાગઢઃ જિલ્લાના વંથલીમાં આઠ દિવસમાં બળાત્કારની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લુશાળા ગામની સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના યુવાને 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવાન મજૂરી કામ કરવા લુશાળા ગામે આવ્યો હતો. પોલીસે આરોપી સામે પોક્સો મુજબનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. ગુજરાતના સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની સરકારની વિચારણાનો સિંહ પ્રેમીઓએ કર્યો વિરોધ, જાણો શું કહ્યું અર્નબ ગોસ્વામીની ધરપકડની ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને નિંદા કરી, જાણો વિગત