મુંબઈઃ બોલીવૂડની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રીનો દરજજો હાંસલ કરનારી અભિનેત્રી શ્રીદેવીના અવસાનને આજે બે વર્ષ થયા છે. આજના દિવસે વર્ષ 2018માં શ્રીદેવીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવીની પુણ્યતિથિ પર તેના દિયર અને તેની સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અનિલ કપૂરે તેને યાદ કરી હતી.


અનિલ કપૂરે શ્રીદેવીના નિધનની બીજી વરસી પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું, “શ્રી, બે વર્ષ થઈ ગયા પરંતુ અમે તેને દરરોજ યાદ કરીએ છીએ. જૂની યાદોને તાજી કરીએ છીએ. અમે વિચારીએ છીએ તું જેને પ્રેમ કરતી હતી તેની સાથે વધારે સમય ગાળત. અમે તારી સાથે વીતાવેલી દરેક ક્ષણ માટે તારા આભારી છીએ. તું અમાદિ દિલમાં હંમેશા રહીશ.”


શ્રીદેવીની પુણ્યતિથિ પર આજે તેની દીકરી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ યાદ કરી હતી. તેણે બાળપણની એક તસવીર શેર કરી, જેમાં તે માતા શ્રીદેવી સાથે નજરે પડી રહી છે. તસવીર સાથે લખ્યું, તમને દરરોજ યાદ કરું છું.


એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા શ્રીદેવી દુબઈ ગઈ હતી ત્યારે હોટલના બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું.

કોરોનાના ડરથી શેરબજારમાં બોલ્યો 807 પોઈન્ટનો કડાકો, જાણો રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત

ICC Women’s T20I World Cup: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી આપી હાર

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત