Aryan Khan Gets Bail:બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ હતો.  આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા. જાણીએ જયારે જેલમાં રહેલા આર્યન ખાનને જામીન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી.


જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જેલના સળિયા પાછળ રહેલા આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ભોજન આપતી વખતે તેની જામીન અંગે જાણ કરવામાં આવી હતી. જામીનના સમાચાર સાંભળીને આર્યન ખાન ખડખડાટ હસી પડ્યો અને તેણે જેલ સ્ટાફને 'થેંક્સ' કહ્યું. જોકે માહિતી સામે આવી છે કે આર્યન ખાને ડિનર ન હતું લીધું.


એવી માહિતી પણ મળી રહી છે કે, લગભગ 21 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાનની બેરેકના કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે. આર્યન ખાને આ કેદીઓના પરિવારને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. આ સાથે તેમને કેદીઓ સામે ચાલી રહેલા કેસોમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.


જણાવી દઈએ કે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં એક ટીમે 2 ઓક્ટોબરે મુંબઈમાં એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને આ જ આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં એનસીબીએ અત્યાર સુધીમાં લગભગ 20 લોકોની ધરપકડ કરી છે.


આ પણ વાંચો


અમેરિકાની 20 વર્ષની હૉટ મૉડલે પિતાની લાશ પાસે કરાવ્યું ફોટોશૂટ, કર્યું સેલિબ્રેશન, લોકો ભડકતાં શું કહ્યું ?


આ હોટ એક્ટ્રેસને નિર્માતાએ ફિલ્મ લીધા બાદ તેમની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું, એક્ટ્રેસે શું કર્યું

Aryan Khan Bail: આર્યનને જામીન મળ્યા બાદ શાહરુખ ખાનની પ્રથમ તસવીર સામે આવી, જાણો સતીશ માનશિંદેએ શું કહ્યું?