Dhanush And Aishwaryaa Divorce: સાઉથ સુપરસ્ટાર ધનુષ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. ધનુષ એ દિવસોમાં ખૂબ ચર્ચામાં હતો જ્યારે તેણે અને તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ કપલ હવે છૂટાછેડા નહીં લે પરંતુ તેમના સંબંધોને વધુ એક તક આપશે.


ધનુષ અને ઐશ્વર્યા છૂટાછેડા નહીં લે...


ધનુષ અને ઐશ્વર્યા ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. ટોલીવુડ નેટના રિપોર્ટ અનુસાર ધનુષ અને ઐશ્વર્યાએ છૂટાછેડા લેવાના નિર્ણયને સ્થગિત રાખવાનું મન બનાવી લીધું છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી આ કપલે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી ત્યારથી જ ઐશ્વર્યાના પિતા સુપરસ્ટાર રજનીકાંત બંનેને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે ટોલીવુડ નેટના આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રજનીકાંતની આ મહેનત રંગ લાવી છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારજનોએ સાથે બેસીને બંને વચ્ચે જે પણ સમસ્યા છે તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન નક્કી કરવામાં આવ્યું છે કે આ બંને અલગ નહીં થાય પરંતુ તેમના સંબંધોને ટકાવવા માટે કામ કરશે. જોકે સત્તાવાર રીતે ધનુષ-ઐશ્વર્યા કે તેમના પરિવારના સભ્યો તરફથી આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.


18 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો


ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત વર્ષ 2004માં લગ્નના બંધનમાં બંધાયા હતા, ત્યારબાદ બંને બે બાળકોના માતા-પિતા પણ બન્યા હતા. જો કે, આ વર્ષે જાન્યુઆરીમાં, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને, ધનુષ-એશ્વર્યાએ તેમના 18 વર્ષના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અચાનક આવેલા આ સમાચારથી બંનેના ફેન્સ ચોંકી ગયા હતા, પરંતુ હવે બંનેના છૂટાછેડા નહીં થાય, આ સમાચારથી બંનેના ફેન્સ ખૂબ જ ખુશ થશે.


આ પણ વાંચો......


Adipurushનું ટીઝર જોઈને પ્રભાસ પણ નારાજ થયા છે? પ્રભાસનો આ વીડિયો થયો છે વાયરલ


KBC 14: અમિતાભ બચ્ચનને કેબીસીના મંચ પર અભિષેકે આપ્યું સરપ્રાઈઝ, રડી પડ્યા Big B, જુઓ વીડિયો