Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સીબીઆઈએ શુક્રવારે સિસોદિયાના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હી સરકારની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંને નેતાઓની ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે. ગુજરાત માટે AAPએ અત્યાર સુધીમાં તેના 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જાણો અરવિંદ કેજરીવાલનો સંપૂર્ણ ગુજરાત કાર્યક્રમ?

આ બંને AAP નેતાઓ તેમના ગુજરાત પ્રવાસ પર સોમવારે અમદાવાદ પહોંચશે. તેઓ હિંમતનગરમાં ટાઉન હોલ સભાને સંબોધશે. મંગળવારે ભાવનગરમાં આવી જ સભામાં હાજરી આપવાના છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સોમવારે મનીષ સિસોદીયા અને હું બે દિવસ માટે ગુજરાત જઈશું, શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપવા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી સ્કૂલ, સારી હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેક વ્યક્તિને સારું શિક્ષણ અને સારી સારવાર મફતમાં મળશે. લોકોને ઘણી રાહત મળશે.યુવાનો સાથે પણ વાતચીત કરશે.

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. AAPએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની બે યાદી બહાર પાડી છે. આ બે યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. AAPએ 2 ઓગસ્ટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેણે 18 ઓગસ્ટના રોજ બીજી યાદી બહાર પાડી હતી.

 

UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

CRIME NEWS : અમદાવાદના અમરાઈવાડીમાં ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

NITISH KUMAR : 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનશે, જાણો કોણે કર્યો દાવો

AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત