અમરેલીઃ જાણીતા કથાકાર મોરારીબાપુની રાજુલાના ભેરાઈમાં આજથી રામકથાનો પ્રારંભ થયો છે. રાજુલામાં આરોગ્ય મંદિરના લાભાર્થે યોજાયેલી કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ રસપાન કર્યુ હતું.


કથામાં મોરારીબાપુએ કોરોના વાયરસને લઈ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, “કોઈએ ગભરાવાની જરાય જરૂર નથી. મને એવું લાગશે તો કથા બંધ દઈશ અને મંડપ ઉતારીને તલગાજરડા જતો રહીશે.  કોરોના વાયરસના કારણે સાવધાન રહેવાની અપીલ કરી જણાવ્યું, બધાના તન મનની મારી વ્યાસપીઠને ચિંતા છે.  નહીં આવો તો પણ ચાલશે. આપણે ડરીને નથી મરવું.”

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે અને આશરે 5000થી વધારે લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં પણ બે લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે.

ઈટાલીથી હનીમૂન મનાવીને પરત ફર્યુ કપલ, પતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જ પત્નીએ કર્યુ આવું, જાણો વિગતે

IPL 2020: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- અમે તો આઈપીએલ રમાડવા માંગીએ છીએ પણ...........

રાજ્યસભા ચૂંટણીઃ ક્રોસ વોટિંગના ડરથી ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યોને જયપુર લઈ જવાયા, જુઓ લિસ્ટ

IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો