સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘ વરસતાં વીજળી પડતાં બે યુવાનના મોત થયા છે.


સૌરાષ્ટ્રમાં ગઇ કાલ ગાજ વીજ સાથે વરસાદ પડતાં મગફળીના મોટા જથ્થાને નુકસાન થયું છે તો બીજી તરફ અને શિવરાજપુરમાં બે પશુનાં મોત થયાં છે.ચુડામાં વીજળી પડતાં બે વ્યક્તિએ જીવ ગૂમાવ્યાં છે. તલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ  મૂળધાર વરસાદ પડયો. ગડુ અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ થયો હતો. કોડીનાર તાલુકામાં 19 મીમી, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જેના પગલે મગફળીના મોટો જથ્થો પણ પલળી ગયો હતો.સૌરાષ્ટ્રમાં આસોમાં મેઘરાજા મનમૂકીને રહ્યાં અહીં ઉનામાં 3 ઇંચ, તો જૂનાગઢમાં એક ઇંચ,કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો.


ગીર સોમનાથમાં વરસાદથી નુકસાન


ગીર સોમનાથમાં વરસાદના કારણે મગફળીને ભારે નુકસાન થયું છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં  મગફળીના તૈયાર પાક પર પાણી ભરી વળ્યું છે. અહીં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ ગયું હતું. જેના પગલે મગફળીના પાથરા પલળી જતાં મગફળીના મોટો જથ્થો બગડી ગયો છે.  માળીયા તાલુકાના પીપળવા,ચુલડી, બરૂલા, ખોરાસા, જાનુડા, શાંતિપરા, સીમાર, સુખપૂર, સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સમગ્ર પંથકમાં 1 કલાકમાં ગાજવીજ સાથે અડધોથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે મગફળીના તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થયું છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. પાછળના વરસાદે આ તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડતા પાક સુંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે.


આ પણ વાંચો


CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો


Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી


T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?