સુરત: ગુજરાત NCPના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા આજે કામરેજની મુલાકાતે આવ્યા હતા. આગામી મહિને યોજાનારા શક્તિદળના કાર્યક્રમની તૈયારીને લઈ વાઘેલા કામરેજ આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં નોન એન.ટી.ટી સરકાર છે.

રાજયમાં સત્તા પરિવર્તન અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું, હાલ ભાજપનો સમય ચાલે છે સમય પૂરો થશે એટલે સત્તા જશે.  ગુજરાતમાં ખબર જ નથી પડતી કે સરકાર પણ છે. હાલ રાજ્ય માં ધૂંધળું ,વાદળીયું ,ધૂપ છાવ વાળું વાતાવરણ છે, સમય પૂરો થશે એટલે ભાજપની સરકાર જશે.

વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, આવાનારા  સમયમાં આવતી તાલુકા અને જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NCP પૂરી તાકાત સાથે લડશે.


વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ

બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા