ગાંધીનગરઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ ગુજરાત કોગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.


હાર્દિકના રાજીનામા બાદ એનએસયુઆઇ, યુથ કોગ્રેસનું એક જૂથ વિશ્વનાથસિંહના વિરોધમાં હતું. વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.


કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે, હવે ધીમે ધીમે અહેસાસ થયો હતો. ત્યારની કોગ્રેસ દેશની સેવા કરવા માટે નહી પણ એક પરિવારની ભક્તિ જ કરે છે. કોગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યા હોવાનો વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો. યુથ કોગ્રેસની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યા છે.


વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે.


 


5 સપ્ટેમ્બર રાહુલ ગાંધી રિવરફ્રન્ટ ખાતે સંમેલનને સંબોધશે


અમદાવાદઃ રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરશે. પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સામેલન નામ આપવામાં આવ્યું છે. પુરા ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે. મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન, પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે.

 

મહેસાણામાં 7 મતદારોમાં ગોટાળો નીકળ્યો છે. અમે તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે. દરેક બેઠક ઉપર એવરેજ 10 હજાર બોગસ મતદારો છે.  આવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. 5મી તારીખે ગુજરાતના રાજકારણમાં આશ્ચર્જનક વળાંક આવશે. ગોપાલ ઇટાલિયા સામે થયેલી ફરિયાદ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, આ દેશમાં ભાજપે વિશ્વ વિભૂતિ નેતાઓની છાપ બગાડવા કોઈ શબ્દો બાકી નથી રાખ્યા. મતનો લાભ લેવા માટે કોઈની સામે ફરિયાદ કરી છે. ડ્રગ્સનું ગુજરાતમાં પ્રોડક્શન થઈ રહ્યું છે

Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા  હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?


Ravindra Jadeja Injury: Team India ને  લાગ્યો મોટો ઝટકો,  T20 World Cup માંથી બહાર થયો જાડેજા


Ola ના ઈલેક્ટ્રિક સ્કૂટરની જોરદાર માંગ, પ્રથમ દિવસે જ થયું 10 હજાર બુકિંગ, જાણો ક્યારથી શરૂ થશે ડિલિવરી


Asia Cup 2022: પાક સામે મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી, વાયરલ ફિવરની ઝપેટમાં આવ્યો આ ફાસ્ટ બોલર