જૂનાગઢઃ ગીરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. એક લાખથી વધુ લોકોએ પ્રથમ દિવસે જ પરિક્રમા પૂરી કરી દીધી હતી અને હજુ પણ માનવમહેરામણ ઉમટી પડ્યું છે. આ દરમિયાન પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. પરિક્રમા દરમિયાન બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા છે.


માલવેલા અને જીણાબાવાની મઢી પાસે બનેલી ઘટનામાં બે યાત્રીઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. બંને મૃતકોની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગીરનાર ફરતે યોજાતી 36 કિમીની પગપાળા ચાલીને પરીક્રમા કરવાના રૂટ પર 10 DYSP , 15 પીઆઇ ,71 પીએસઆઇ ,1100 પોલીસ જવાન અને 2 SRP કંપની ખડે પગે બંદોબસ્તમાં છે.

દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદથી ધરતીપુત્રોની વધી ચિંતા

92 વર્ષની વયે રામ જન્મભૂમિ માટે કેસ લડનારા પરાસરન કોણ છે ? જાણો વિગત

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત

સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત