ગાંધીનગરઃ ST નિગમના 22 હજાર કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઇને 27 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરશે. પડતર માંગણીઓને એસટીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. એસટીના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો 8 ઓક્ટોબરે માસ CL પર જશે.


ST નિગમના 22 હજાર કર્મચારીઓ પોતાની પડતર માગોને લઈ છેલ્લા એક અઠવાડિયાથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરી રહ્યા છે. જો તેમની માંગ સ્વીકારવામાં ન આવી તો આગામી દિવસોમાં રિસેસના સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ પણ કરશે. ST કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને ચીમકી આપી છે કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહી આવે તો 8 ઑક્ટોબરથી 22 હજાર કર્મચારીઓ માસ CL પર ઉતરશે.


ST કર્મચારી પગાર વધારા સહિત મોંઘવારી ભથ્થામાં વધારો, ઓવરટાઈમ,એરિયર્સ અને સેટલમેંટનો લાભ આપવાની માંગણીઓ કરી રહ્યા છે.


 


સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે


ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં અધિકારીઓને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે. અધિકારીઓને આ બે દિવસ કોઈ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ બે દિવસ મુલાકાતીઓને અધિકારીઓ મળશે. તેમજ મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે. 


આ પણ વાંચોઃ ધરમનો ભાઈ બનીને પ્રેમિકાના ઘરમાં રહેવા લાગ્યો યુવક, બંને શરીર સુખ માણતા હતાને પતિ જોઈ ગયો પછી......


Pitru Paksha 2021: જીવનમાં જોવા મળે આ લક્ષણો તો સમજી લો પિતૃ છે નારાજ, જાણો કેવી રીતે કરશો પ્રસન્ન


Do You Know: ATM માંથી નીકળેલી ફાટેલી નોટ બદલવાથી બેંક ન કરી શકે ઈન્કાર, જાણો કામનો આ નિયમ


IPL 2021, PBKS vs RR: છેલ્લી ઓવરમાં 1 રન આપીને રાજસ્થાનને જીતાડનારા ત્યાગીને કોણે ગણાવ્યો 'બ્રેટ લી' ?