Aadhaar card update: આધાર કાર્ડ ધારકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા આગામી 6 મહિના માટે એકદમ ફ્રી કરી દેવામાં આવી છે. 1 જુલાઈથી લાગુ થતા આ નવા નિયમથી લાખો લોકોને ફાયદો થશે, કારણ કે હવે તેમણે આ અપડેટ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં.

Continues below advertisement

આધારમાં કેમ જરૂરી છે ફેરફાર?

આજકાલ આધાર કાર્ડ દરેક નાગરિક માટે એક મુખ્ય ઓળખપત્ર બની ગયું છે. પછી તે સરકારી યોજનાઓનો લાભ લેવાની વાત હોય કે બેંકિંગ સેવાઓ, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. આથી, આધારમાં રહેલી માહિતી સાચી અને અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને UIDAI એ સામાન્ય નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે.

Continues below advertisement

શું છે નવો ફેરફાર અને કેટલી બચત થશે?

UIDAI ના નવા પરિપત્ર મુજબ, તમારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા મર્યાદિત સમય માટે સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. 1 જુલાઈથી શરૂ કરીને આગામી 6 મહિના સુધી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો.

અગાઉ, આ સેવા માટે યુઝર્સે લગભગ ₹75 (GST સહિત) જેટલી ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે નવી જાહેરાત બાદ આ સેવા એકદમ ફ્રી થઈ ગઈ છે. આ નિર્ણયથી સામાન્ય લોકોને સીધી નાણાકીય રાહત મળશે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ

આ સેવાનો લાભ કેવી રીતે મેળવવો?

આ ફ્રી સુવિધાનો લાભ લેવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

આ મફત સુવિધા માત્ર આધારની અધિકૃત મોબાઈલ એપ્લિકેશન અથવા UIDAI ના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જ ઉપલબ્ધ છે.

જો તમે એપ દ્વારા તમારું ઈમેલ આઈડી અપડેટ કરશો, તો તમારી પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

UIDAI એ ખાસ સલાહ આપી છે કે આ સેવાનો લાભ લેવા માટે તેમના સત્તાવાર એપ કે પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો. જો તમે અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવશો, તો કદાચ જૂના નિયમ મુજબ ફી લાગુ પડી શકે છે, તેથી સત્તાવાર એપનો ઉપયોગ કરવો જ હિતાવહ છે.

આ પણ વાંચોઃ આધારમાં કેટલી વાર બદલી શકાય છે નામ, સરનામું અને મોબાઇલ નંબર? જાણી લો UIDAI નો નવો નિયમ