Coronavirus Cases Today in India: દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 11 હજાર 499 નવા કેસ નોંધાયા છે અને 255 લોકોના મોત થયા છે. ગઈકાલે 13 હજાર 166 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કેસમાં 12.6 ટકાનો ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.







એક્ટિવ કેસ ઘટીને 1 લાખ 21 હજાર 881 થયા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 21 હજાર 888 થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 13 હજાર 481 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 4 કરોડ 22 લાખ 70 હજાર 482 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ વર્ષે 22 ફેબ્રુઆરી સુધી દિલ્હીની જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવેલા કુલ 626 નમૂનાઓમાંથી 92 ઓમિક્રોન વેરિઅન્ટ્સના મળી આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ 177 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 28 લાખ 29 હજાર 582 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 177 કરોડ 17 લાખ 68 હજાર 379 ડોઝ આપવામાં આવ્યા છે.


 


Video : 'યુક્રેનમાં ટેક્સી ડ્રાઇવર ગુજરાતી યુવક સહિત ગર્ભવતીને અધવચ્ચે છોડીને જતો રહ્યો, ગર્ભવતી મહિલાને પેઇન ચાલું થઈ ગયું છે'


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના